આ ચર્ચ ખંભાત અખાતના મુખમાં આવેલું છે. તેનું બાંધકામ ઈસ ૧૬૦૧થી શરૂ કરવામાં આવ્યું હતું. આ ચર્ચ સમાન બેસિલીકા ચર્ચની શૈલીમાં બાંધવામાં આવ્યું છે. આ ચર્ચ નું બાંધકામ ૧૬૧૦ પૂર્ણ થયું હતું. ચર્ચ નું બાંધકામ અવર લેડી ઓફ ઇમમક્યુલેટ કન્સેપ્શનને સમર્પિત હતું.
કલાત્મક શૈલીમાં બાંધવામાં આવેલ ચર્ચ મજબૂત અને ગોવા ચર્ચ સાથે સમાનતા દર્શાવે છે, પરંતુ આ ચર્ચ ઈ.સ. ૧૬૦૫ માં ગોવા ખાતે બનેલા બોમ જિસસ બેસિલીકા કરતાં વધુ સારી રચના અને ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું છે. સેંટ પોલ ચર્ચ આ પ્રદેશના વસાહતો તથા પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ચર્ચના આંતરિક ભાગમાં ગૂંચવણભરી કોતરણી કરેલી લાકડાની કળાથી શણગારવામાં આવેલી છે. જે ભારતના કોઇ પણ પોર્ટુગીઝ ચર્ચ માની સૌથી વિસ્તૃત કોતરણી માનવામાં આવે છે.
ચર્ચના આંતરિક ભાગમાં નાજુક સર્પાકાર સ્ક્રોલ જેવા આભૂષણ અને શેલ સાથે વિસ્તૃત અને પ્રભાવશાળી ડિઝાઇન બનાવેલી છે. ચર્ચની સામેનો દેખાવ ભારતમાં બાંધવામાં આવેલાં બધા પોર્ટુગીઝ ચર્ચનો સૌથી વિશાળ હોવાનું માનવામાં આવે છે. આ ચર્ચની વેદી સેન્ટ મેરીની છબી ધરાવે છે. જે બર્મીઝ સાગના એક ટુકડામાંથી બનાવેલ છે. અહીંયા ૧૦૧ મીણબત્તીઓ એક સાથે પ્રકાશિત કરી શકાય છે. ચર્ચમાં સફેદ સાગોળ સાથે ભવ્ય કોતરણી કરી સજાવટ કરેલી છે, જે મુખ્યત્વે ભારતીય કસબીઓની કારીગરીને આભારી છે. ગોવાના મોટાભાગના ચર્ચોની લાક્ષણિકતા પણ આ પ્રકારની છે.
માહિતી :- વિકિપિડીયા
Nice pray for us
જવાબ આપોકાઢી નાખો