જનરલી સૌ કોઈને પોલીસનું નામ સાંભળતાની સાથે જ રુંવાટા ઉચા થઈ જતાં હોય છે. પોલીસને જોતા જ ડરની લાગણી અનુભવતા હોય છે. પોલીસ આપણી રક્ષા માટે દિવસ રાત ખડે પગે હોય છે તેનાથી શા માટે ડરવું!! પોલીસને જોતાં આપ સૌને સલામતીની અનુભૂતિ થાય તેવો ઉતમ દાખલો મેં છેલ્લા ત્રણેક દિવસમાં જોયો.
વાત જાણે એમ છે.
કિરીટ ઝાખરીયા અંકલ જેઓ મૂળ ભારતના છે પણ હાલ અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. તેમની જમીન તરફ જવાનો રસ્તો તેમની પાસેના જમીનદાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમના રસ્તા અંગેનો કેસ ૨૦૧૦થી નામદાર કોર્ટમાં ચાલતો હતો. સાત વર્ષની લાંબી સફર બાદ ૨૦૧૭માં કેસનો કામચલાઉ ચૂકાદો કિરીટ ઝાખરીયા અંકલની તરફેણમાં મળ્યો. આ ચૂકાદાને નકારતા સામે વાળા પ્રાતવાદી તરફથી કોઈ અમલ થતો નહોતો. છેવટે તેમણે રૂબરૂ ભારતમાં આવી તેનો ઉકેલ લાવવાનું ઉચિત સમજ્યું.
ભારતમાં આવી તેઓ આણંદના માનનીય ડી.એસ.પી સાહેબ મકરંદ ચૌહાણ તથા તેમના નેજા હેઠળ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબને મળ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબના પ્રયત્નો, અને બન્ને જમીનદાર પક્ષની સર્વસંમતિથી માત્ર ત્રણ જ દિવસમાં તેમની જમીનના રસ્તાનો સુખદ ઉકેલ આવ્યો.
આણંદમાં ફરજ બજાવતા ડી.એસ.પી મકરંદ ચૌહાણ સાહેબ તથા ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબ હમેશાં સામાન્ય માણસની સમસ્યાનો હલ લાવવા કટીબદ્ધતા દર્શાવે છે. દિવસ દરમિયાન જે પણ તેમની સમક્ષ સમસ્યા લઈને જાય તેનો તેઓ સફળ અને સુખદ ઉકેલ આપે છે. ડી.એસ.પી મકરંદ ચૌહાણ સાહેબ તથા ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબની પ્રમાણિકતાને જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે. આવા નિષ્પક્ષ, નિષ્ઠાવાન પોલીસ આપણાં આણંદનાં આંગણે સેવા બજાવી રહ્યા હોય તે આપણા આણંદ વાસીઓનું સૌભાગ્ય છે...
વાત જાણે એમ છે.
કિરીટ ઝાખરીયા અંકલ જેઓ મૂળ ભારતના છે પણ હાલ અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. તેમની જમીન તરફ જવાનો રસ્તો તેમની પાસેના જમીનદાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમના રસ્તા અંગેનો કેસ ૨૦૧૦થી નામદાર કોર્ટમાં ચાલતો હતો. સાત વર્ષની લાંબી સફર બાદ ૨૦૧૭માં કેસનો કામચલાઉ ચૂકાદો કિરીટ ઝાખરીયા અંકલની તરફેણમાં મળ્યો. આ ચૂકાદાને નકારતા સામે વાળા પ્રાતવાદી તરફથી કોઈ અમલ થતો નહોતો. છેવટે તેમણે રૂબરૂ ભારતમાં આવી તેનો ઉકેલ લાવવાનું ઉચિત સમજ્યું.
ભારતમાં આવી તેઓ આણંદના માનનીય ડી.એસ.પી સાહેબ મકરંદ ચૌહાણ તથા તેમના નેજા હેઠળ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબને મળ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબના પ્રયત્નો, અને બન્ને જમીનદાર પક્ષની સર્વસંમતિથી માત્ર ત્રણ જ દિવસમાં તેમની જમીનના રસ્તાનો સુખદ ઉકેલ આવ્યો.
આણંદમાં ફરજ બજાવતા ડી.એસ.પી મકરંદ ચૌહાણ સાહેબ તથા ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબ હમેશાં સામાન્ય માણસની સમસ્યાનો હલ લાવવા કટીબદ્ધતા દર્શાવે છે. દિવસ દરમિયાન જે પણ તેમની સમક્ષ સમસ્યા લઈને જાય તેનો તેઓ સફળ અને સુખદ ઉકેલ આપે છે. ડી.એસ.પી મકરંદ ચૌહાણ સાહેબ તથા ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબની પ્રમાણિકતાને જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે. આવા નિષ્પક્ષ, નિષ્ઠાવાન પોલીસ આપણાં આણંદનાં આંગણે સેવા બજાવી રહ્યા હોય તે આપણા આણંદ વાસીઓનું સૌભાગ્ય છે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો