હું પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતો ત્યારે સાપુતારા વિશે એક પાઠ ભણ્યો હતો, ક્યાં ધોરણમાં આવતો એ બરાબર યાદ નથી પણ બે મુદ્દા ઝાંખા-ઝાંખા યાદ રહી ગયા કે સાપુતારામાં વાંસ અને સાપની સંખ્યા સૌથી વધારે છે. આ પાઠ ભણીને મનોમન સાપુતારા જોવાની તીવ્ર ઇચ્છા જાગી હતી.
લગભગ પંદરેક દિવસ પહેલાં કોલેજ ગયો ત્યારે જુલી મેડમ તરફથી જાણવા મળ્યું કે "કોલેજ માંથી સાપુતારા પ્રવાસનું આયોજન કર્યું છે" "તારે આવું છે??" મેં આશ્ચર્ય સહ આનંદ સાથે કહ્યું "શું!! સાપુતારા જવાનું છે!! હા મેડમ હું જરૂર આવીશ" કહી મેડમનાં સુરમાં સુર મેળવ્યો. સાપુતારાનાં પ્રવાસનું નામ સાંભળતા વેંત 'ભૂખ્યાને ભાવતું ભાણું ના મળી ગયું હોય!' તેમ હું પ્રસન્ન થઈ ગયો. પ્રવાસનો દિવસ પણ 'વર્લ્ડ ટુરિઝમનાં દિવસે' જ નિર્ધારિત કર્યો હતો, તે મારું અહોભાગ્ય આ અવસરે સાપુતારાનો પ્રવાસ માણવાનો મોકો મળ્યો.
સાપુતારા પ્રવાસને લઈને હું એટલો ઉત્સાહિત હતો કે પંદર દિવસ પહેલાંથી જ સાપુતારાનાં જોવા લાયક સ્થળોની માહિતી ગૂગલમાં ફંફોશવા લાગ્યો, જેથી તે સ્થળોને માણવાનો લ્હાવો લગીરેય બાકી ના રહી જાય. માહિતી એકત્ર કરી પ્રવાસ માટે હું બરાબર તૈયાર જ હતો કે પાંચેક દિવસ પહેલાં બિમારીએ દ્વારે દસ્તક દીધી. બિમારીની ચુંગાલમાં તો હું એવો ફસાયો કે આંખ ઉંચી કરી સામે જોવાનીય ક્ષમતા મારામાં નહોતી. ડોક્ટર દ્વારા પણ પ્રવાસ રદ કરવાનાં દુઃખદ સમાચાર સાંપડ્યા. મેં ડોક્ટરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આપ યોગ્ય દવા આપો, હવે કોઈપણ સંજોગોમાં હું પ્રવાસ રદ કરવા તૈયાર નથી. સતત ત્રણ દિવસની દવાદારું બાદ હું બિમારીના ઝંજાળ માંથી હેમખેમ પાછો ફર્યો.
મારા માટે બીજો એક પ્રાણ પ્રશ્ન એ હતો કે આ પ્રવાસમાં કોણ આવશે તેનાથી હું અપરિચિત હતો. કારણ જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટથી હું એકલો જ આ ટુર પર જઈ રહ્યો હતો. મિત્રો વગર બે દિવસ કેવી રીતે પસાર કરવા તે મારા માટે જટિલ પ્રશ્ન થઈ પડ્યો પરંતુ પ્રવાસમાં આવેલા સૌના મિલનસાર મિજાજનાં કારણે હું તેમનામાં 'દુધમાં સાંકરની જેમ ભળી ગયો,' બે દિવસમાં ઘણા મિત્રો બની ચૂક્યા હતા. આ પ્રવાસ દરમિયાન હું ઘરેથી એકલો નિકળ્યો હતો પણ અવિસ્મરણીય યાદો અને ઘણાં નવા મિત્રો મારા જીવન પર્યત સ્મૃતિમાં લઈ પરત ફર્યો.
સાપુતારા પ્રવાસને લઈને હું એટલો ઉત્સાહિત હતો કે પંદર દિવસ પહેલાંથી જ સાપુતારાનાં જોવા લાયક સ્થળોની માહિતી ગૂગલમાં ફંફોશવા લાગ્યો, જેથી તે સ્થળોને માણવાનો લ્હાવો લગીરેય બાકી ના રહી જાય. માહિતી એકત્ર કરી પ્રવાસ માટે હું બરાબર તૈયાર જ હતો કે પાંચેક દિવસ પહેલાં બિમારીએ દ્વારે દસ્તક દીધી. બિમારીની ચુંગાલમાં તો હું એવો ફસાયો કે આંખ ઉંચી કરી સામે જોવાનીય ક્ષમતા મારામાં નહોતી. ડોક્ટર દ્વારા પણ પ્રવાસ રદ કરવાનાં દુઃખદ સમાચાર સાંપડ્યા. મેં ડોક્ટરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આપ યોગ્ય દવા આપો, હવે કોઈપણ સંજોગોમાં હું પ્રવાસ રદ કરવા તૈયાર નથી. સતત ત્રણ દિવસની દવાદારું બાદ હું બિમારીના ઝંજાળ માંથી હેમખેમ પાછો ફર્યો.
મારા માટે બીજો એક પ્રાણ પ્રશ્ન એ હતો કે આ પ્રવાસમાં કોણ આવશે તેનાથી હું અપરિચિત હતો. કારણ જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટથી હું એકલો જ આ ટુર પર જઈ રહ્યો હતો. મિત્રો વગર બે દિવસ કેવી રીતે પસાર કરવા તે મારા માટે જટિલ પ્રશ્ન થઈ પડ્યો પરંતુ પ્રવાસમાં આવેલા સૌના મિલનસાર મિજાજનાં કારણે હું તેમનામાં 'દુધમાં સાંકરની જેમ ભળી ગયો,' બે દિવસમાં ઘણા મિત્રો બની ચૂક્યા હતા. આ પ્રવાસ દરમિયાન હું ઘરેથી એકલો નિકળ્યો હતો પણ અવિસ્મરણીય યાદો અને ઘણાં નવા મિત્રો મારા જીવન પર્યત સ્મૃતિમાં લઈ પરત ફર્યો.
જનાઁલિઝમ ના મિત્રો વિના પ્રવાસ અધુરો કહેવાય
જવાબ આપોકાઢી નાખો