બુધવાર, 7 ફેબ્રુઆરી, 2018

પાનખર ઋતુમાં કુદરતની કળા

ભારતમાં વસંત, શરદ, શીશીર, ગ્રીષ્મ, અને હેમંત એમ કુલ છ ઋતુઓ છે આ છ ઋતુમાં પાનખર ઋતુ (વસંત)નું વિશેષ મહત્વ છે, કારણ પાનખર ઋતુમાં પર્ણના અલગ અલગ રંગથી પ્રકૃતિને સોળે કળાએ ખીલેલી માણી શકાય છે. પાનખર ઋતુ ગુજરાતી પંચાગ પ્રમાણે માહ અને ફાગણ માહિનામાં આવે છે. પાનખર ઋતુ બાદ વસંતમાં નવા પર્ણ ફુટે છે.

પાનખર ઋતુને આજે નયને નિહાળી એક અદ્ભુત આનંદની અનુભૂતિ થઈ. સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રવેશતા જ વૃક્ષો રોડને બન્ને તરફે ઘેરવી લીધેલા નજરે નિહાળી શકાય છે, પણ આ વૃક્ષોનો આજે કાંઈક અલગ નજારો નજરે પડ્યો.


આ વૃક્ષોના લીલા-પીળા પર્ણો જાણે અમારું સ્વાગત કરતાં હોય એમ વર્ષી રહ્યાં હતાં, ભભકદાર વૃક્ષોનાં પર્ણો ડાળીઓથી વિખૂટા થઈ રોડ પર એ પ્રમાણે પથરાય ગયા હતા જાણે પ્રકૃતિએ જમીન પર લીલી-પીળી ચાદર ઓઢાડી હોય, સાથે મંદ મંદ વહેતો વાયરો આ પર્ણોને લઈને એક જગ્યાએ એકત્ર કરતો મસ્ત મધુર સંગીત ઉત્પન્ન કરતો હતો આ અવાજ સાંભળીને મન આનંદવિભોર થઈ ગયું.
પાનખરમાં સુકાઈ ગયેલા પર્ણો નીચે પડતા તો બીજી તરફ નવા ફુટી નિકળેલા પર્ણોથી ઝાડ લીલાછમ લાગતા હતા. આંબાના ઝાડ પર મૌરની મિજબાની કેરીઓના આગમનની આગાહી આપી રહી હતી. આ પાનખર ઋતુની નયનરમ્ય, સૌંદર્યને મનથી માણવાનો અનુભવ જ અનોખો હતો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા

હું અને મારા શ્રીમતી જી સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ શિમલા ઉતર્યા, અમો જેવા સ્ટેશન ઉતર્યા કે તરત ડ્રાઇવર અમને પીક કરી હોટલ છોડ્યા ને કહ્ય...