શનિવાર, 29 સપ્ટેમ્બર, 2018

ડાંગનો ગીરા ધોધ

દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ગુજરાતના જાણીતા ધોધ માનો એક છે. ડાંગ જિલ્લામાં આવેલું વઘઇ બસ સ્ટેશનથી પાંચ કિલોમીટર દૂર આંબાપાડા આવેલું છે, ત્યાંથી દોઢેક કિલોમીટર દૂર ગીરા ધોધ આવેલો છે. ગીરા ધોધ તરફ જવાનો રસ્તો સાંકળો તેમજ લીલાછમ ખેતરો, વાંસ અને અસંખ્ય નાના-મોટા ઝાડી ઝાંખરાથી ધેરાયેલો છે. અડધા કિલોમીટર દૂરથી જ ધોધ પડવાનો મંદ-મંદ અવાજ સંભળાય છે. ધોધનો કર્ણપ્રિય અવાજ સાંભળતાની સાથે જ મન ઝૂમવા લાગે છે, અને ધોધ જોવાની આતુરતા વધવા લાગે.


ગીરા ધોધ અમેરિકાનાં નાયગ્રા જેવો બારમાસી ધોધ તો નથી પરંતુ ચોમાસામાં આ ધોધને નજરે નિહાળવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. અહીંયા ત્રીસ મીટર ઊંચેથી સ્વયં અંબિકા નદી ગીરા ધોધ સ્વરૂપે નીચે ખાબકે છે અને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ચોમાસામાં અંબિકા નદી છલોછલ થતાં ગીરા ધોધનું જાજરમાન અને રોદ્ર સ્વરૂપ જોવા મળે છે. પાણી ઓછું હોય ત્યારે ધોધ અલગ-અલગ વહેણમાં બદલાઈ જાય છે. નીચે ખાબકતા દરેક વહેણ વચ્ચે એવી જુગલબંધી જોવા મળે છે જાણે 'ધોધ નીચે પડી એક-બીજાને સ્પર્શવા આતુર ના હોય!!'


વહેણ ધોધ સ્વરૂપ નીચે પડતાંની સાથે જ મૌન ધારણ કરી લે છે. મૌન ધારણ કરેલી નદી થોડી દૂર જતાં વળાંક લઈ પર્વતોની વચ્ચે ગર્ભ ધારણ ના કરી લેતી હોય એમ લાગે છે!! અંબિકાના કિનારે બેસી બસ એકીટશે ધોધને જોયા કરીએ તો પણ તેને જોવાની ઇચ્છા મનમાં અધુરી રહી ગઈ હોય એમ લાગે છે. આ અબોલ ટેકરીઓ વચ્ચેથી વહી રહેલાં ગીરા ધોધનાં નિર્મળ જળ જાણે કાંઈ કહી રહ્યા હોય તેવો અહેસાસ થયા વગર રહે જ નહીં. અહીંયા દર વર્ષે ઘણા પ્રવાસીઓ ધોધ જોવાનો લ્હાવો લેવા આવે છે. અંબિકા નદી કિનારે ઘરની શોભા વધારતાં વાંસ માંથી બનાવેલા વિવિધ આકર્ષિત સાધનો પણ જોવા મળે છે.

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2018

શું!! સાપુતારા જવાનું છે!!

હું પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતો ત્યારે સાપુતારા વિશે એક પાઠ ભણ્યો હતો, ક્યાં ધોરણમાં આવતો એ બરાબર યાદ નથી પણ બે મુદ્દા ઝાંખા-ઝાંખા યાદ રહી ગયા કે સાપુતારામાં વાંસ અને સાપની સંખ્યા સૌથી વધારે છે. આ પાઠ ભણીને મનોમન સાપુતારા જોવાની તીવ્ર ઇચ્છા જાગી હતી.


લગભગ પંદરેક દિવસ પહેલાં કોલેજ ગયો ત્યારે જુલી મેડમ તરફથી જાણવા મળ્યું કે "કોલેજ માંથી સાપુતારા પ્રવાસનું આયોજન કર્યું છે" "તારે આવું છે??" મેં આશ્ચર્ય સહ આનંદ સાથે કહ્યું "શું!! સાપુતારા જવાનું છે!! હા મેડમ હું જરૂર આવીશ" કહી મેડમનાં સુરમાં સુર મેળવ્યો. સાપુતારાનાં પ્રવાસનું નામ સાંભળતા વેંત 'ભૂખ્યાને ભાવતું ભાણું ના મળી ગયું હોય!' તેમ હું પ્રસન્ન થઈ ગયો. પ્રવાસનો દિવસ પણ 'વર્લ્ડ ટુરિઝમનાં દિવસે' જ નિર્ધારિત કર્યો હતો, તે મારું અહોભાગ્ય આ અવસરે સાપુતારાનો પ્રવાસ માણવાનો મોકો મળ્યો.


સાપુતારા પ્રવાસને લઈને હું એટલો ઉત્સાહિત હતો કે પંદર દિવસ પહેલાંથી જ સાપુતારાનાં જોવા લાયક સ્થળોની માહિતી ગૂગલમાં ફંફોશવા લાગ્યો, જેથી તે સ્થળોને માણવાનો લ્હાવો લગીરેય બાકી ના રહી જાય. માહિતી એકત્ર કરી પ્રવાસ માટે હું બરાબર તૈયાર જ હતો કે પાંચેક દિવસ પહેલાં બિમારીએ દ્વારે દસ્તક દીધી. બિમારીની ચુંગાલમાં તો હું એવો ફસાયો કે આંખ ઉંચી કરી સામે જોવાનીય ક્ષમતા મારામાં નહોતી. ડોક્ટર દ્વારા પણ પ્રવાસ રદ કરવાનાં દુઃખદ સમાચાર સાંપડ્યા. મેં ડોક્ટરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આપ યોગ્ય દવા આપો, હવે કોઈપણ સંજોગોમાં હું પ્રવાસ રદ કરવા તૈયાર નથી. સતત ત્રણ દિવસની દવાદારું બાદ હું બિમારીના ઝંજાળ માંથી હેમખેમ પાછો ફર્યો.


મારા માટે બીજો એક પ્રાણ પ્રશ્ન એ હતો કે આ પ્રવાસમાં કોણ આવશે તેનાથી હું અપરિચિત હતો. કારણ જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટથી હું એકલો જ આ ટુર પર જઈ રહ્યો હતો. મિત્રો વગર બે દિવસ કેવી રીતે પસાર કરવા તે મારા માટે જટિલ પ્રશ્ન થઈ પડ્યો પરંતુ પ્રવાસમાં આવેલા સૌના મિલનસાર મિજાજનાં કારણે હું તેમનામાં 'દુધમાં સાંકરની જેમ ભળી ગયો,' બે દિવસમાં ઘણા મિત્રો બની ચૂક્યા હતા. આ પ્રવાસ દરમિયાન હું ઘરેથી એકલો નિકળ્યો હતો પણ અવિસ્મરણીય યાદો અને ઘણાં નવા મિત્રો મારા જીવન પર્યત સ્મૃતિમાં લઈ પરત ફર્યો.

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2018

સેન્ટ પોલ ચર્ચ - દિવ


સેંટ પોલ ચર્ચ ભારતના પશ્ચિમ કિનારે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશના દિવ ટાપુ પર આવેલું છે. 16 મી સદીના પ્રારંભમાં દીવ પોર્ટુગીઝ વસાહતીઓના અંકુશ હેઠળ ભારત આવ્યા હતા અને ૧૬૧૦ માં લગભગ ૪૦૮ વર્ષ પહેલાં સેંટ પોલ ચર્ચની સ્થાપના કરી હતી. પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવેલા દિવમાં ત્રણ ચર્ચો માનું આ એક છે. તે ભારતના બેરોક આર્કિટેક્ચર (કલાત્મક શૈલી) ના શ્રેષ્ઠ ઉદાહરણોમાનું એક ગણવામાં આવે છે.

આ ચર્ચ ખંભાત અખાતના મુખમાં આવેલું છે. તેનું બાંધકામ ઈસ ૧૬૦૧થી શરૂ કરવામાં આવ્યું હતું. આ ચર્ચ સમાન બેસિલીકા ચર્ચની શૈલીમાં બાંધવામાં આવ્યું છે. આ ચર્ચ નું બાંધકામ ૧૬૧૦ પૂર્ણ થયું હતું. ચર્ચ નું બાંધકામ અવર લેડી ઓફ ઇમમક્યુલેટ કન્સેપ્શનને સમર્પિત હતું.

કલાત્મક શૈલીમાં બાંધવામાં આવેલ ચર્ચ મજબૂત અને ગોવા ચર્ચ સાથે સમાનતા દર્શાવે છે, પરંતુ આ ચર્ચ ઈ.સ. ૧૬૦૫ માં ગોવા ખાતે બનેલા બોમ જિસસ બેસિલીકા કરતાં વધુ સારી રચના અને ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું છે. સેંટ પોલ ચર્ચ આ પ્રદેશના વસાહતો તથા પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ચર્ચના આંતરિક ભાગમાં ગૂંચવણભરી કોતરણી કરેલી લાકડાની કળાથી શણગારવામાં આવેલી છે. જે ભારતના કોઇ પણ પોર્ટુગીઝ ચર્ચ માની સૌથી વિસ્તૃત કોતરણી માનવામાં આવે છે.

ચર્ચના આંતરિક ભાગમાં નાજુક સર્પાકાર સ્ક્રોલ જેવા આભૂષણ અને શેલ સાથે વિસ્તૃત અને પ્રભાવશાળી ડિઝાઇન બનાવેલી છે. ચર્ચની સામેનો દેખાવ ભારતમાં બાંધવામાં આવેલાં બધા પોર્ટુગીઝ ચર્ચનો સૌથી વિશાળ હોવાનું માનવામાં આવે છે. આ ચર્ચની વેદી સેન્ટ મેરીની છબી ધરાવે છે. જે બર્મીઝ સાગના એક ટુકડામાંથી બનાવેલ છે. અહીંયા ૧૦૧ મીણબત્તીઓ એક સાથે પ્રકાશિત કરી શકાય છે. ચર્ચમાં સફેદ સાગોળ સાથે ભવ્ય કોતરણી કરી સજાવટ કરેલી છે, જે મુખ્યત્વે ભારતીય કસબીઓની કારીગરીને આભારી છે. ગોવાના મોટાભાગના ચર્ચોની લાક્ષણિકતા પણ આ પ્રકારની છે.

માહિતી :- વિકિપિડીયા

બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018

પ્રમાણિક પોલિસ આણંદ શહેર

જનરલી સૌ કોઈને પોલીસનું નામ સાંભળતાની સાથે જ રુંવાટા ઉચા થઈ જતાં હોય છે. પોલીસને જોતા જ ડરની લાગણી અનુભવતા હોય છે. પોલીસ આપણી રક્ષા માટે દિવસ રાત ખડે પગે હોય છે તેનાથી શા માટે ડરવું!! પોલીસને જોતાં આપ સૌને સલામતીની અનુભૂતિ થાય તેવો ઉતમ દાખલો મેં છેલ્લા ત્રણેક દિવસમાં જોયો.

વાત જાણે એમ છે.

કિરીટ ઝાખરીયા અંકલ જેઓ મૂળ ભારતના છે પણ હાલ અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. તેમની જમીન તરફ જવાનો રસ્તો તેમની પાસેના જમીનદાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમના રસ્તા અંગેનો કેસ ૨૦૧૦થી નામદાર કોર્ટમાં ચાલતો હતો. સાત વર્ષની લાંબી સફર બાદ ૨૦૧૭માં કેસનો કામચલાઉ ચૂકાદો કિરીટ ઝાખરીયા અંકલની તરફેણમાં મળ્યો. આ ચૂકાદાને નકારતા સામે વાળા પ્રાતવાદી તરફથી કોઈ અમલ થતો નહોતો. છેવટે તેમણે રૂબરૂ ભારતમાં આવી તેનો ઉકેલ લાવવાનું ઉચિત સમજ્યું.



ભારતમાં આવી તેઓ આણંદના માનનીય ડી.એસ.પી સાહેબ મકરંદ ચૌહાણ તથા તેમના નેજા હેઠળ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબને મળ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબના પ્રયત્નો, અને બન્ને જમીનદાર પક્ષની સર્વસંમતિથી માત્ર ત્રણ જ દિવસમાં તેમની જમીનના રસ્તાનો સુખદ ઉકેલ આવ્યો.



આણંદમાં ફરજ બજાવતા ડી.એસ.પી મકરંદ ચૌહાણ સાહેબ તથા ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબ હમેશાં સામાન્ય માણસની સમસ્યાનો હલ લાવવા કટીબદ્ધતા દર્શાવે છે. દિવસ દરમિયાન જે પણ તેમની સમક્ષ સમસ્યા લઈને જાય તેનો તેઓ સફળ અને સુખદ ઉકેલ આપે છે. ડી.એસ.પી મકરંદ ચૌહાણ સાહેબ તથા ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબની પ્રમાણિકતાને જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે. આવા નિષ્પક્ષ, નિષ્ઠાવાન પોલીસ આપણાં આણંદનાં આંગણે સેવા બજાવી રહ્યા હોય તે આપણા આણંદ વાસીઓનું સૌભાગ્ય છે...

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા

હું અને મારા શ્રીમતી જી સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ શિમલા ઉતર્યા, અમો જેવા સ્ટેશન ઉતર્યા કે તરત ડ્રાઇવર અમને પીક કરી હોટલ છોડ્યા ને કહ્ય...